ગુજરાત ની એક એવી ફિલ્મ જે થિએટર માં રિલીસ થઈ ત્યારે ચકલા ઉડતા હતા પરંતુ તેની વાર્તા અને પ્રભાવ ના કારણે પાછળથી કરોડો કમાઈને બ્લોક બસસ્ટર સાબિત થય છે અને બોલીવુડ બાદ જે હવે પોતાની કહાની સાઉથ સુધી પહોંચાડવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ની તેલુગુ રિમેક બનવાની તૈયારી ચાલી રહી છે અને સૌથી વધુ ચર્ચા ભગવાન શ્રીકૃષ્ણના પાત્રને લઈને થઈ રહી છે.
અગાઉ રામચરણનું નામ ચર્ચામાં આવ્યા બાદ હવે વિજય દેવરકોન્ડાને શ્રીકૃષ્ણની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, ફિલ્મના તેલુગુ રિમેકના રાઇટ્સ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર દિલ રાજૂએ મેળવ્યા છે અને તેઓ જ આ પ્રોજેક્ટનું નિર્માણ કરશે. આ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં વિપુલ ડી. શાહની ભૂમિકા હોવાનો પણ અહેવાલ છે.
મૂળ ગુજરાતી ફિલ્મનું દિગ્દર્શન અંકિત સખિયાએ કર્યું હતું. ફિલ્મમાં કરણ જોશી મુખ્ય ભૂમિકામાં હતા, જ્યારે શ્રુહદ ગોસ્વામીએ શ્રીકૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ 10 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થઈ હતી અને શરૂઆત ધીમી હોવા છતાં માઉથ પબ્લિસિટીથી બોક્સ ઓફિસ પર જબરદસ્ત વેગ મળ્યો હતો.
‘લાલો’ ₹100 કરોડનો વૈશ્વિક આંકડો પાર કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની હતી અને ત્યારબાદ તેનું કુલ વૈશ્વિક કલેક્શન ₹120 કરોડથી વધુ પહોંચ્યું હોવાના અહેવાલો આવ્યા હતા.





