HomeGujaratગુજરાતીઓ માટે મોટા સમાચાર! અશ્વિની વૈષ્ણવ એ જણાવી બુલેટ ટ્રેન ટ્રાયલની તારીખ

ગુજરાતીઓ માટે મોટા સમાચાર! અશ્વિની વૈષ્ણવ એ જણાવી બુલેટ ટ્રેન ટ્રાયલની તારીખ

Date:

Related stories

કોલસા અને કલર-કેમિકલ મોંઘા થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી હલચલ, આવતા સપ્તાહે મોટો નિર્ણય

અગાઉ તા ૨૭-૦૮-૨૦૨૬ના રોજ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની...

ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરજો : પીએમ મોદી

નવસારી ખાતે જિલ્લા ભાજપનું નવું બનેલું કાર્યાલય નમો કમલમનું...

નવસારીમાં દેશનું પ્રથમ AI સુવિધા સાથેનું નમો કમલમનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના...

મુંબઈના અંબાણી સેન્ટર ખાતે PM મોદીના કાર્યક્રમ પહેલા 2 શંકાસ્પદોની નકલી PMO ID અને બંદૂક સાથે અટકાયત

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ...

વડોદરામાં PM મોદીએ હજારો યુવાનો સાથે કર્યો સંવાદ, ₹35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજારો યુવાનો સાથે સંવાદ કરી...
spot_img

વર્ષોથી જે બુલેટ ટ્રેનની રાહ જોવાઈ, હવે તે સપનું સાકાર થવાની દિશામાં છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વડોદરામાં મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે ભારતની બુલેટ ટ્રેનનું ટ્રાયલ મે અથવા જૂન 2027થી શરૂ થવાની અપેક્ષા છે. ટ્રાયલ સફળ રહ્યા બાદ અંદાજે બે થી ચાર મહિનામાં ઉદ્ઘાટન કરવાની યોજના છે. એટલે 2027નું વર્ષ ભારતની હાઈ-સ્પીડ રેલ વ્યવસ્થા માટે અત્યંત મહત્વનું બની શકે છે.

વડોદરામાં યોજાયેલા ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં વૈષ્ણવે જણાવ્યું કે બુલેટ ટ્રેનની પ્રથમ બોડી ફ્રેમ તૈયાર થઈ ગઈ છે અને તેને જરૂરી પરીક્ષણ માટે મોકલવામાં આવી છે. આ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો ભાગ છે અને ગુજરાતના અનેક શહેરોને તેનો સીધો લાભ મળશે.

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર વડોદરાથી મુંબઈનો પ્રવાસ આશરે દોઢ કલાકમાં પૂર્ણ થઈ શકશે. ગુજરાત માટે વધુ એક મહત્વની માહિતી એ છે કે સુરત-વાપી વિભાગનું બાંધકામ ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ કરવાની અપેક્ષા છે. આ પ્રગતિથી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના મહત્વના વિભાગોમાં કામગીરી વધુ ઝડપથી આગળ વધવાની આશા છે.

વૈષ્ણવે ભારતીય રેલવેમાં થઈ રહેલા અન્ય મોટા ફેરફારોની પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રેલવેની ઓપરેટિંગ અને રિઝર્વેશન સિસ્ટમને આધુનિક બનાવવામાં આવી રહી છે. જૂની બાંધકામ પદ્ધતિઓમાં સુધારા સાથે માલવહન વ્યવસ્થાને પણ અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ માટે વિવિધ પ્રકારના નવા વેગન ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મીઠાના પરિવહન માટેની વિશેષ ડિઝાઇનનો પણ સમાવેશ થાય છે.

રેલવે મંત્રીએ ચેનાબ બ્રિજ અને મિઝોરમને રેલવે નેટવર્ક સાથે જોડતી યોજનાઓ સહિત લાંબા સમયથી પેન્ડિંગ રહેલી કેટલીક મહત્વની યોજનાઓ પૂર્ણ થયાનો પણ ઉલ્લેખ કર્યો. દેશભરમાં 280 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ અને 36,000 કિલોમીટર નવી રેલવે લાઇન બિછાવવાના કામની પણ તેમણે માહિતી આપી હતી.

આ સમગ્ર પ્રોજેક્ટને આત્મનિર્ભર ભારતના વિઝન સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે. હવે સૌની નજર 2027ના મે-જૂન પર છે, જ્યારે ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેનનું વાસ્તવિક ટ્રાયલ શરૂ થવાની અપેક્ષા છે.

Subscribe

Latest stories

spot_img