Thursday, Aug 13, 2026

કારગિલ વિજય દિવસની યાદમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સુરત રીજન દ્વારા સેવાકીય કાર્યક્રમો યોજાયા

1 Min Read

સુરત: કારગિલ વિજય દિવસની યાદમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, સુરત રીજન દ્વારા તા. 10 ઓગસ્ટ, 2026ના રોજ ગર્વ અને શ્રદ્ધા સાથે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ONGC ફેઝ-II કોલોની ખાતે CISF અને ONGCના સ્ટાફ તથા તેમના પરિવારજનો માટે મફત આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો.

કિરણ હોસ્પિટલ, સુરતના તબીબો અને સ્ટાફ દ્વારા આયોજિત આ આરોગ્ય કેમ્પમાં 111થી વધુ સભ્યોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કેમ્પનું ઉદ્ઘાટન યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના સુરત પ્રાદેશિક વડા શ્રી ગોવિંદ મિશ્રા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ONGC હજીરા પ્લાન્ટ કેમ્પસમાં 101 છોડનું વાવેતર કરી વૃક્ષારોપણ અભિયાન પણ યોજાયું હતું. CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી વિજય ચકોર અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના પ્રાદેશિક વડા શ્રી ગોવિંદ મિશ્રા દ્વારા વૃક્ષારોપણ કરી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે યુનિયન બેંકના એજીએમ શ્રી સંગ્રામ સિંહ રાણા, એજીએમ શ્રી અનંત શાનભાગ, ચીફ મેનેજર શ્રી ઈશ્વર ચપલોટ સહિત બેંક અને CISFના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બંને કાર્યક્રમોનું સંકલન તથા મહેમાનોના સન્માનની કામગીરી CISFના ઇન્સ્પેક્ટર શ્રી દીપક કુમાર ઝા દ્વારા કરવામાં આવી હતી. કારગિલ વિજય દિવસની ભાવનાને સેવાકાર્ય અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડતા આ કાર્યક્રમો દ્વારા દેશપ્રેમ, સમાજસેવા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Share This Article