HomeGujaratSouth Gujaratસુરતના ઉમરપાડામાં મેઘતાંડવ: આટલા ઈંચ વરસાદથી જળબંબાકાર, આમલી ડેમના દરવાજા ખોલાયા

સુરતના ઉમરપાડામાં મેઘતાંડવ: આટલા ઈંચ વરસાદથી જળબંબાકાર, આમલી ડેમના દરવાજા ખોલાયા

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે ઉમરપાડા તાલુકામાં માત્ર થોડા કલાકોમાં પડેલા ભારે વરસાદે તંત્રની ચિંતા વધારી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને ડેમોમાં પાણીની આવક પણ ઝડપથી વધી રહી છે.

ઉમરપાડા તાલુકામાં છેલ્લા 4 કલાક દરમિયાન 8 ઈંચથી વધુ વરસાદ નોંધાતા ભરવાડ ફળિયા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે ઝંખવાવ-માંડવી રોડ પર પાણી ભરાયા છે, જ્યારે ઉમરઝરથી વાડી ગામ વચ્ચે આવેલું ગરનાળું પાણીમાં ડૂબી જતાં વાહન વ્યવહારને અસર પહોંચી છે.

બીજી તરફ, ઉમરપાડામાં આવેલા આમલી ડેમમાં વરસાદી પાણીની આવકમાં મોટો વધારો થયો છે. ડેમમાં 9574 ક્યુસેક પાણીની આવક નોંધાતા પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા ડેમના 8 પૈકી 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકાના 15 જેટલા નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક લોકોને નદી કાંઠા વિસ્તારમાં અવરજવર ટાળવા અને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હાલ અધિકારીઓ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Subscribe

Latest stories

spot_img