કર્ણાટકમાં ગાય ચોરોને ગોળી મારવાનો આદેશ: મંત્રી મનકલ એસ વૈદ્ય

Share this story

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં વધતી ગાય ચોરીની ઘટનાઓને લઇને પ્રભારી મંત્રીએ કડક ચેતવણી આપી છે. જિલ્લા પ્રભારી મંત્રી મંકલ એસ વૈદ્યએ કહ્યું કે, આ ઘટનાઓમાં સામેલ લોકોને રસ્તા પર અથવા ચૌકમાં ગોળી મારી દેવી જોઈએ. હું જિલ્લામાં આવી ગતિવિધિઓ કોઈપણ પરિસ્થિતિમાં થવા નહીં દઉં. ગાયોની રક્ષા કરવા અને તેમને પાળનારાઓના હિત માટે પ્રશાસન તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે.

ઉત્તર કન્નડ જિલ્લામાં ગાય ચોરીની ઘટનાઓ અત્યારે વધતી જઈ રહી છે. થોડા દિવસ પહેલા હોન્નવારે એક ગાયની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. મંત્રી મંકલ એસ વૈદ્યએ જણાવ્યું કે, ગાયોની ચોરી ઘણા વર્ષોથી થઈ રહી છે. મેં એસપીને કહી દીધું છે કે હવે આ બંધ થવું જોઈએ અને કોઈપણ કિંમતે આવી ઘટનાઓ ન બનવી જોઈએ. આ ખૂબ જ ખોટું છે. અમે ગાયની પૂજા કરીએ છીએ. અમે તેમને પ્રેમથી પાળીએ છીએ. અમે ગાયનું દુધ પીધું છે અને મોટા થયા છીએ. મેં પોલીસને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે જે પણ આમાં સામેલ છે, ભલે તે કોઈ પણ હોય, તેના પર કડક કાર્યવાહી થવી જોઈએ.

મંત્રીએ કહ્યું કે કેટલાક કેસોમાં ધરપકડ કરવામાં આવી છે. જો આવી ઘટનાઓ ચાલુ રહેશે, તો હું કહીશ કે આરોપીઓને રસ્તા પર અથવા ચૌકમાં ગોળી મારી દેવી જોઈએ. કામ કરો, કમાઓ અને ખાઓ. અમારી જિલ્લામાં પૂરતી નોકરીઓ ઉપલબ્ધ છે. અમે કોઈપણ કિંમતે આવા લોકોનું સમર્થન નહીં કરીએ.

મંત્રીએ જણાવ્યું કે જ્યારે ભાજપ સત્તામાં હતું, ત્યારે પણ આવી ઘટનાઓ બની હતી. આ મુદ્દે સરકારને ઘેરવા માટે તેમણે ભાજપને નિશાન બનાવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ જ્યારે સત્તામાં હતું ત્યારે આ મુદ્દે મૌન ધારણ કર્યું હતું. મંત્રીએ કહ્યું કે જો અમે આવી ગતિવિધિઓનું સમર્થન કરતા, તો પછી એફઆઈઆર અને ધરપકડ કેવી રીતે થાય?

તેમણે કહ્યું કે અમે ચૂપ બેસી નથી. પોલીસ આને નિયંત્રિત કરવા માટે કાર્યવાહી કરી રહી છે. સરકાર ત્યાં છે, હું અહીં છું. તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ન તો સરકાર, ન તો મુખ્યમંત્રી અથવા ગૃહ મંત્રી કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે અમે ગાય પાળનારાઓની રક્ષા માટે કામ કરીશું, અને કોઈએ પણ ડરવાની જરૂર નથી.

આ પણ વાંચો :-