ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અધિકારીનું રાજીનામું

Share this story

ગુજરાત પોલીસમાં અલગ ઇમેજ ધરાવતા IPS અધિકારી અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. જો કે, હજી સુધી રાજ્ય સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. 3 જાન્યુઆરીના સવારે 10 વાગ્યે તેઓએ રાજ્યના પોલીસવડાને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ હાલ એડિશનલ ડીજીપી તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. કયા કારણોસર અને નિવૃત્તિના થોડાક મહિના પહેલાં જ રાજીનામું આપ્યું તે અંગે અનેક ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા. હાલમાં પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા.

અહેવાલ અનુસાર તેમણે 3 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે રાજ્ય પોલીસ વડા(DGP)ને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તેઓ હાલમાં ગુજરાત પોલીસમાં એડિશનલ ડીજીપી (ADGP) તરીકે કાર્યરત છે. નિવૃત્તિના થોડા મહિના પહેલા જ તેમણે રાજીનામું કેમ આપ્યું અને શા માટે તેમણે આવું કર્યું તેની ઘણી ચર્ચા થઈ રહી છે. અભય ચુડાસમા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પણ જાણીતા છે. તેઓ ગુજરાત પોલીસના ઘણા મહત્વપૂર્ણ કેસ સાથે સંકળાયેલા હતા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્વપૂર્ણ કેસ, તેમણે તેને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં કોડીનારમાં આયોજિત એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ કહ્યું હતું કે, ‘હું રાજકારણમાં ક્યારેય જોડાઈશ નહીં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ.’ જેથી હવે નિવૃત્તિ બાદ સમાજસેવામાં કાર્યોમાં જોડાશે એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. અભય ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે. તેઓ મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની છે. તેમને નાની ઉંમરે જ અંકલેશ્વર ખાતે ડી.વાય.એસ.પી. તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. તેમને પોલીસ સેવામાં લાંબી સેવા બાદ એપ્રિલ 2024માં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આઠ જ મહિનામાં નિવૃત્ત થવાના હોવા છતાં વહેલા રાજીનામાં કારણે તેમના અનેક સાથી પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા.

આ પણ વાંચો :-