Monday, Dec 8, 2025

દિલ્હીથી બિહાર જતી બસમાં આગ લાગતાં પાંચ જણ જીવતા ભૂંજાયા

2 Min Read

ઉત્તર પ્રદેશના લખનૌમાં એક બસમાં અચાનક આગ લાગતાં તેમાં સવાર બે બાળકો સહિત પાંચ મુસાફરો જીવતા ભૂંજાયા છે. આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી, પરંતુ લખનૌ પહોંચતાં અચાનક તેમાં આગ લાગી હતી. બસમાં લગભગ 80 લોકો સવાર હતા. આગની ઘટના દરમિયાન મોટાભાગના મુસાફરો બસમાં ઊંઘી રહ્યાં હતાં. જાણકારી પ્રમાણે માત્ર 10 જ મિનિટમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બસમાં અચાનક લાગેલી આગના કારણે 5 મુસાફરોનું અકાળે મોત થયું છે.

દિલ્હીથી બિહાર જઈ રહેલી બસમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ બસમાં 60 મુસાફરો સવાર હતા, જેમાંથી 5 લોકો આગમાં જીવતા ભડથું થયાં છે. બસનો ડ્રાઈવર બચવા માટે કાચ તોડીને બહાર ભાગ્યો હતો. માત્ર 10 જ મિનિટમાં બસ બળીને ખાખ થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. એક વ્યક્તિએ જણાવ્યું કે, પહેલા બસમાં ધૂમાડો આવ્યો એટલે શ્વાસ લેવામાં તકલિફ થઈ હતી અને જેવી જ આગ લાગી એટલે અફરાતરફીનો માહોલ સર્જાયો હતો.

જોકે આ બસમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે બસમાં પાંચ-પાંચ કિગ્રાનાં સાત ગેસ સિલિન્ડર હતાં. જોકે કોઈ સિલિન્ડર ફાટ્યો નથી. પોલીસે આગ લાગવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસમાં આગ લાગતાં જ બસ ડ્રાઈવર અને કંડક્ટર જીવ બચાવી ભાગી ગયા હતા. બસમાં સવાર મુસાફરોએ પોતાની જાતમહેનતે બસના કાચ તોડી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં બસમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યાર બાદ આગની જ્વાળાઓમાં બસ લપેટાઈ હતી.

Share This Article