મેટાએ પુષ્ટિ કરી છે કે વોટ્સએપ પર હેકર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જૂના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક વોટ્સએપ વપરાશકર્તાઓ સાયબર હુમલાખોરોના નિશાના પર હતા. વોટ્સએપ પર હેકર્સ દ્વારા સાયબર એટેક કરવામાં આવ્યો હતો. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 90 જેટલા પત્રકારોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.
મેટાએ આરોપ લગાવ્યો છે કે આ સાયબર હુમલામાં પેરાગોનના સર્વેલન્સ સોફ્ટવેર, જેને ગ્રેફાઇટ કહેવાય છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વોટ્સએપના માલિક મેટાએ જણાવ્યું હતું કે લગભગ 90 લોકો આ સાયબર હુમલાનો ભોગ બન્યા છે. જેમાં પત્રકારો અને અનેક અગ્રણી હસ્તીઓ હોવાનું કહેવાય છે. જોકે તેમની વિગતો જાહેર કરવામાં આવી નથી.
મેટાએ પુષ્ટિ કરતાં કહ્યું કે હુમલાખોરોએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા. તેમાં ઘણા પત્રકારો અને અગ્રણી હસ્તીઓ સામેલ છે. કંપનીએ સ્વીકાર્યું કે આ લોકો 20 અલગ-અલગ દેશોમાંથી હતા.
પેરાગોન સોલ્યુશનમાંથી ગ્રેફાઇટ ખરેખર ઝીરો ક્લિક ટેક્નિક પર કામ કરે છે. જેનો અર્થ એ છે કે તે ક્લિક કર્યા વિના ડિવાઈઝને ઍક્સેસ કરી શકે છે અને ડેટા હેક કરવાની ક્ષમતા ધરાવે છે. મોબાઇલ માલિકને આ હેકિંગ વિશે કોઈ ખબર પડતી નથી. આ માહિતી મીડિયા રિપોર્ટ્સમાંથી મળી છે.
જીમેલ દ્વારા ચેતવણી પણ જારી કરવામાં આવી છે અને તમામ યુઝર્સને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેના 2500 કરોડ યુઝર્સ છે અને દરેકને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. તાજેતરમાં, ઘણા પ્લેટફોર્મ પર હુમલાની માહિતી પ્રકાશમાં આવી છે, પરંતુ જીમેલનો યુઝરબેઝ ઘણો મોટો છે. જીમેલ પર ઘણી સંવેદનશીલ વિગતો છે, જો ચોરાઈ જાય તો હેકર્સ તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે.
આ પણ વાંચો :-