Tuesday, Feb 11, 2025

કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી

3 Min Read

શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહને લઈને ચાલી રહેલા વિવાદમાં મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. હિંદુ પક્ષને રાહત આપતા અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની કેસ રદ કરવાની અરજી ફગાવી દીધી છે તેથી હવે હાઈકોર્ટમાં હિંદુ પક્ષની 18 અરજીઓ પર આગામી 12 ઓગસ્ટે સુનાવણી થશે. અલ્હાબાદ હાઈકોર્ટે ગુરૂવારે કેસની જાળવણીને પડકારતી મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે કેસ જાળવવા યોગ્ય છે. હિન્દુ પક્ષની અરજી સાંભળવા યોગ્ય છે. જસ્ટિસ મયંક કુમાર જૈને મુસ્લિમ પક્ષ દ્વારા (ઓર્ડર 7 નિયમ 11 સીપીસી હેઠળ) કેસની જાળવણી અંગે દાખલ કરેલી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટે મુદ્દા પર નિર્ણય લેવા માટે 12 ઓગસ્ટની તારીખ પણ નક્કી કરી છે.

allahabad-highcourt-verdict-on-mathura-shri-krishna-janmabhoomi Mathura: મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો આંચકો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી

તમને જણાવી દઈએ કે મુસ્લિમ પક્ષે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત અરજીઓની પોષણીયતાને હાઈકોર્ટમાં પડકારી હતી. આ અરજીઓ અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. તો બીજી તરફ, હાઈકોર્ટે સિવિલ વાદની પોષણીયતા અંગે હિન્દુ પક્ષની અરજીઓ સ્વીકારી હતી. તમને જણાવી દઈએ કે હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં તેઓએ શાહી ઈદગાહ મસ્જિદની જમીનને હિન્દુઓની જમીન ગણાવી હતી અને ત્યાં પૂજા કરવાનો અધિકાર માંગ્યો હતો.

અયોધ્યા વિવાદની જેમ મથુરા કેસમાં પણ અલાહાબાદ હાઈકોર્ટ એક સાથે મંદિર તરફથી સીધા દાખલ કરાયેલા 18 કેસોની સુનાવણી કરી રહી છે. જસ્ટિસ મયંક કુમાર જૈને 31 મેના રોજ જ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, પરંતુ તે પછી ઇન્તેજામિયા કમિટિ વતી એડવોકેટ મહમૂદ પ્રાચાએ સુનાવણીની તકની માંગ કરી હતી, જેના પછી બે દિવસ સુધી ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગયા મે સુધી, કોર્ટે 30 કાર્યકારી દિવસોમાં આ કેસમાં બંને પક્ષોની ઉલટતપાસ સાંભળી.

અલ્હાબાદ હાઈકોર્ટના આજના નિર્ણયની અસર એ થશે કે હિન્દુ પક્ષની અરજીઓ પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે. હાઈકોર્ટે આ કેસોને સુનાવણી લાયક ગણ્યા છે. જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. આ 15 અરજીઓ પર સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે 31 મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આગામી સુનાવણી 12 ઓગસ્ટે થશે. આ ચુકાદા બાદ હિન્દુ પક્ષોએ ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article