ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવત (૬૮)નું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ધારાસભ્ય શૈલારાણી બે દિવસથી મેક્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. તેમની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું. આ પછી તેમની સર્જરી થઈ.
ધારાસભ્ય શૈલારાણીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. તે વર્ષ ૨૦૧૨માં વિધાનસભામાં પહોંચ્યા હતા. હરીશ રાવતની સરકાર દરમિયાન કોંગ્રેસમાં બળવો થયો ત્યારે શૈલરાણી પણ પાર્ટીના ૯ વરિષ્ઠ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કેદારનાથ સીટ પરથી
કરોડરજ્જુના ફ્રેક્ચર પછી તેણીની સર્જરી બાદ ધારાસભ્ય શૈલરાણી સ્વસ્થ થયા નથી. શૈલારાણી રાવત ૨૦૧૭માં ચૂંટણી પ્રચાર દરમિયાન પડી ગઈ હતી, જેના કારણે તેમને આંતરિક ઈજા થઈ હતી. તેમને કેન્સર પણ થઈ ગયું હતુ. લગભગ ત્રણ વર્ષ સુધી સારવાર બાદ, તે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા અને ફરીથી રાજકારણમાં સક્રિય થયા.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શૈલારાણી રાવતના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે કેદારનાથ વિધાનસભાથી લોકપ્રિય ધારાસભ્ય શૈલા રાણી રાવતનું નિધન અત્યંત પીડાદાયક છે. તેમનું નિધન પાર્ટી અને પ્રદેશના લોકો માટે અપૂરણીય ક્ષતિ છે.
આ પણ વાંચો :-