ઉત્તર પ્રદેશ સહિત દેશભરમા લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. હાલ ઉત્તર ભારતમાં નૌતપાના કારણે તાપમાન ૪૦ ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. અયોધ્યામાં પણ ભીષણ ગરમીને જોતા રામલલ્લાની દિનચર્ચામાં પણ બદલાવ કરી દેવામા આવ્યો છે. રામલલ્લાને ગરમીમાં રાહત આપતું ભોજન અને રાહત આપવામાં વસ્ત્રો પહેરાવવામાં આવી રહ્યા છે.
હાલમાં રામલલ્લાની શીતળ આરતી થઈ રહી છે. તેમને સુતરાઉ વસ્ત્ર પહેરાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ રામલલ્લાને ભોગમાં દહીં અને ફળોનું જ્યૂસ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામ લલ્લા ૫ વર્ષના બાળકના રૂપમાં વિરાજમાન છે. જેને લઈને તેમને ઠંડી અને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ રહી છે.
ગુલાબ, જાસ્મિન, મેરીગોલ્ડ વગેરે જેવા ઠંડક આપતા ફૂલોથી શણગાર કરવામાં આવી રહ્યો છે. રામલલ્લાને ખૂબ જ પ્રિય એવા તુલસી સાથે તેમના એક હજાર નામમાં રોજની પ્રાર્થનાઓ ચાલી રહી છે. આ દિવસોમાં રામલલ્લા જે કપડાં પહેરે છે તે દિલ્હીના ફેશન ડિઝાઈનર મનીષ ત્રિપાઠીએ જાતે જ ડિઝાઈન કરીને મોકલ્યા છે. તેમણે ચાર મહિનાથી રામલલ્લાની આ સેવા શરૂ કરી છે. તેઓ એક વર્ષ સુધી દરરોજ રામલલ્લા માટે કપડાં મોકલશે.
મંગલવારે અયોધ્યામાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું હતું. આજે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ ૩૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. આવી સ્થિતિમાં અયોધ્યાના મઠ મંદિરમાં ભગવાનની દિનચર્યા બદલાઈ ગઈ છે.
આ પણ વાંચો :-